લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈના થાણે,કલ્યાણ અને ડોંબિવલીના ભાગોમા પાણી બંધ રહેશે

મુંબઈના થાણે,કલ્યાણ,ડોંબિવલી,ઉલ્હાસનગર અને નવી મુંબઈ એમઆઈડીસી સહિતના અનેક વિસ્તારોમાં શનિ-રવિ દરમ્યાન પાણી પુરવઠો બંધ રહેશે.જેમા બારાવી ડેમની પાઈપલાઈનનું સમારકામ અને જાળવણીના કામ માટે શનિવારે બપોરે 12 વાગ્યાથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.જેમા સમારકામ પૂર્ણ થયા પછી સોમવાર સુધી પાણીનું દબાણ ઓછું રહેશે.આમ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પાણી પુરવઠા યોજના હેઠળ બારવી ડેમની નવી પાઈપ નાખવામાં આવી છે.ત્યારે તેમાંથી પાણી વહેતું કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.બીજીતરફ ચોમાસા પહેલાં જાંભુળ જળશુદ્ધિકરણ કેન્દ્રની અને પાઈપલાઈનની દુરસ્તી અને જાળવણીનું કામ પાર પાડવા માટે થાણેના અને કલ્યાણ-ડોંબિવલી પાલિકાની હદના અમુક વિસ્તારો તેમજ ડોંબિવલી એમઆઈડીસી,તળોજા એમઆઈડીસી અને નવી મુંબઈ એમઆઈડીસી એરિયાનો તેમજ ભિવંડીના અમુક વિસ્તારનો પાણી પુરવઠો બંધ રહેશે.