લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબમા મુખ્યમંત્રી ભગવંત માનની કેબિનેટનું વિસ્તરણ થશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે.જે નવા મંત્રીમંડળમાં પાંચ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારે શપથગ્રહણ સમારોહ પંજાબના રાજભવનાં સાંજે 5 કલાકે યોજાશે.પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત મંત્રીમંડળમા સમાવવામાં આવેલા નવા મંત્રીઓને પદ તેમજ ગોપનીયતાના શપથ અપાવશે.આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં સત્તા સંભાળ્યાના 3 મહિનાથી વધુ સમય બાદ સૌપ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ છે.જેમા નવા 5 મંત્રીઓ કેબિનેટમાં સામેલ થશે જેને પગલે મંત્રીમંડળનું કદ વધીને 15નું થઇ જશે.પંજાબમાં આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટીમાં આમ આદમી પાર્ટીએ 117 બેઠક પૈકી 92 પર જીત મેળવી હતી અને સરકાર રચી હતી.ભગવંત માન મુખ્યમંત્રી બન્યા હતા અને તેમના મંત્રીમંડળમાં 10 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા.