લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકમાં આગામી 31 જાન્યુઆરીથી નાઈટ કર્ફ્યુ હટાવાશે

કર્ણાટક સરકારે રાજ્યભરમાં કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધોમાં છુટછાટ આપવાની જાહેરાત કરી છે.ત્યારે રાજ્યમાં આગામી 31 જાન્યુઆરીથી નાઇટ કર્ફ્યુ હટાવવામાં આવશે.આ સિવાય રાજ્યની રાજધાની બેંગલોરમાં તમામ સ્કૂલોને કોવિડ ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવાની સાથે ઓફલાઈન વર્ગો શરૂ કરવાની પરવાનગી હશે.આ સાથે થિયેટર સિવાય,હોટલ,બાર અને પબમાં 50% ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે.આ સિવાય આઉટડોર લગ્નોમાં 300 લોકોને ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે,જ્યારે ઇન્ડોર લગ્નમાં 200 સભ્યોને મંજૂરી આપવામાં આવશે.આ ઉપરાંત મહારાષ્ટ્ર,ગોવા,કેરળથી રાજ્યમાં પ્રવેશ કરતા લોકોએ કોવિડ નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે.