બનારસ ઘરાનાની સુપ્રિદ્ધ રાજન-સાજનની જોડી હંમેશા માટે તૂટી ગઇ છે.આ જોડીમાં મોટાભાઇ રાજન મિશ્રનુ રવિવારે દિલ્હીમાં કોરોનાના કારણે નિધન થયું છે.જેમાં રાજન મિશ્રે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં 6:30 આસપાસ છેલ્લા શ્વાસ લીધા છે.આમ તેમના મૃત્યુ બાદ દેશભરમાંથી પ્રશંસકો મહાન સંગીતકારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.આમ પંડિત રાજનને કોરોનાનો ચેપ લાગ્યો તે સાથે હાર્ટએટેક પણ આવ્યો હતો.જેના કારણે તેમની સ્થિતિ ગંભીર થઇ હતી.
આમ રાજન મિશ્ર ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક હતા.જેમને વર્ષ 2007ના વર્ષમાં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું.આ સિવાય ઇસ.1978ના વર્ષમાં તેમણે શ્રીલંકામાં પોતાનો પ્રથમ સંગીત કાર્યક્રમ આપ્યો હતો.ત્યારબાદ તેમણે જર્મની, ફ્રાંસ,સ્વિત્ઝર્લેંડ,ઓસ્ટ્રિયા,અમેરિકા,બ્રિટન,નેધરલેંડ,સિંગાપુર,કતાર,બાંગ્લાદેશ સહિત દુનિયાભરના અનેક દેશોમાં કાર્યક્રમ કર્યા હતા.રાજન અને સાજન મિશ્રા બંને ભાઈઓ હતા અને સાથે જ કલાનું પ્રદર્શન કરતા હતા.આમ બંને ભાઇઓએ સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી.જેમાં બંને ભાઇઓનું માનવું હતું કે જેવી રીતે આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે તેવી જ રીતે સંગીતના સાત સુર સારેગામાપધનીસા પશુ પક્ષીઓના અવાજમાંથી બન્યા છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved