લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં કોરોના રસીકરણ ઝૂંબેશ હેઠળ 50 લાખથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી

અમદાવાદમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી કોરોના રસીકરણ ઝૂંબેશથી અત્યારસુધીમાં અમદાવાદ શહેરમાં 50 લાખથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે. જેમાં 35 લાખથી વધુ લોકોએ વેકિસનનો એક ડોઝ, જયારે 14 લાખથી વધુ લોકોએ બંને ડોઝ લીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના રસીકરણના સો ટકા લક્ષ્યાંકને સિધ્ધ કરવા લીધેલા શ્રેણીબધ્ધ પગલાના કારણે શહેરમાં અત્યારસુધીમાં કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ 35,72,754 લોકોને આપવામાં આવ્યો છે. જ્યારે રસીના બંને ડોઝ લેનારાની સંખ્યા 14,59,556 ઉપર પહોંચી છે.