લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / એશિઝમાં હાર બાદ ઈંગ્લેન્ડના કોચ સિલ્વરવૂડે રાજીનામું આપ્યું

એશિઝમાં ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડની હાર બાદ ટીમમાં રાજીનામાંની વણઝાર જોવા મળે છે.ત્યારે વર્તમાનમાં ઈંગ્લેન્ડની ટીમના કોચ ક્રિસ સિલ્વરવૂડે રાજીનામું આપી દીધું છે.તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ઈંગ્લેન્ડની ટીમનો એશિઝ ટેસ્ટ સીરિઝમાં 0-4થી નાલેશીભર્યો પરાજય થયો હતો.ત્યારબાદ બુધવારે ઈંગ્લેન્ડના એશ્લી જાઈલ્સે ડાયરેક્ટર ઓફ ક્રિકેટના પદેથી રાજીનામું ધરી દીધું હતું.આમ સિલ્વરવૂડે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે વિતેલા બે વર્ષ ખૂબ જ પડકારરૂપ રહ્યા હતા.ટીમ સાથે મારા સમયનો મે સંપૂર્ણ આનંદ લીધો હતો.હું ઘણી સારી યાદોને સાથે લઈને જઈ રહ્યો છું અને હવે પરિવાર સાથે બાકીનો સમય વિતાવીશ તેમજ જીવનના બીજા અધ્યાયનો આરંભ કરીશ.આમ ટીમ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ ઈંગ્લેન્ડની ટીમ માટે વચગાળાના કોચની નિમણૂક કરવામાં આવશે.ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોમ હેરિસને જણાવ્યું હતું કે ક્રિસે પોતાની કામગીરી ખૂબ સારી રીતે નિભાવી છે અને ખેલાડીઓ તેમજ સ્ટાફે તેમની સાથે કામ કરવાનો આનંદ ઉઠાવ્યો હતો.ક્રિસના માર્ગદર્શનમાં મર્યાદિત ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમ વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ અને બીજા ક્રમે પહોંચી હતી.ટેસ્ટ ટીમે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં પણ જીત મેળવી હતી.