લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / હરભજનસિંહ કોરોના પોઝિટિવ થતા હોમ આઈસોલેટ થયા

ભારતના પૂર્વ ઓફ સ્પિનર હરભજનસિંહને કોરોના સંક્રમણ થયું હોવાનું જણાવાયું હતું. જેના કારણે હરભજનસિંહ વર્તમાનમાં હોમ ક્વોરન્ટાઈન થયો છે. આમ 41 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરે ગયા મહિને ક્રિકેટની તમામ ફોરમેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ સિવાય તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ વહેલી તકે ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી હતી.તેઓ મસ્કતમાં ચાલી રહેલી લીજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો હતો.પરંતુ હવે તે ભાગ લઈ શકશે નહીં.હરભજનસિંહે ભારતના ટોચના ઓફ સ્પિનરમાં સ્થાન ધરાવે છે જેમાં તેણે 103 ટેસ્ટમાં 417 વિકેટ ઝડપી હતી.આ ઉપરાંત 236 વન-ડેમાં 269 અને 28 ટી20માં 25 વિકેટ ઝડપી હતી.