કોરોનાના વધી રહેલા કેસના પગલે ગુજરાત સરકારે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. કોરોના અને ઓમિક્રોનના વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્તમાન સમય પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.આ સમિટમાં 5 દેશો રશિયા,સ્લોવેનિયા,નેપાળ સહિતના પાંચ દેશોના વડાપ્રધાન,15 દેશોના વિદેશ મંત્રીઓ હાજર રહેવાના હતા. આ સિવાય 26 પાર્ટનર દેશના પ્રતિનિધિઓ પણ હાજરી આપવાના હતા. આ ઉપરાંત 4 દેશોના ગર્વનર પણ તેમાં હાજરી આપવાના હતા. પીએમ મોદી દ્વારા આ સમિટનુ ઉદઘાટન થવાનુ હતુ. હવે વાઈબ્રન્ટ ગુજરાતની સાથે સાથે યોજાનાર ફ્લાવર શો પણ કેન્સલ કરવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved