Error: Server configuration issue
Home / રાષ્ટ્રીય / આજે અટલ બિહારી વાજપેયીની 97મી જયંતી પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને સ્મૃતિસ્થળ પહોંચી શ્રદ્ધાંજલિ આપી
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે 97મી જયંતી છે. ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ સદૈવ અટલ ખાતે પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ,લોકસભા સ્પીકર ઓમ બિરલા,ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સૌએ તેમના સ્મારક સ્થળે પુષ્પ અર્પિત કરીને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved