કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી માતા વૈષ્ણવદેવીના દર્શન કરવા માટે જમ્મુ પહોંચ્યા છે. જ્યાં તેઓ રોકાણ કરવાના છે અને જમ્મુમાં કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત પણ કરશે. આમ રાહુલ ગાંધી ગાંધી પરિવારના પ્રથમ સભ્ય નથી જે માતા વૈષ્ણવદેવીના દર્શન માટે ગયા હોય. આ પહેલા દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ દર્શન કરી ચુકયા છે. ઇસ.1970માં તેઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમની ગુફામાંથી પસાર થતી વખતે લેવાયેલી તસવીર ચર્ચાનો વિષય બની હતી. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વર્ષોથી મંદિરોમાં જઈ રહ્યા છે અને આ મુદ્દો ચર્ચાનો વિષય પણ બનતો રહ્યો છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાઈ તે પહેલા તેમણે રાજ્યના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં દર્શન કર્યા હતા. આ સિવાય રાહુલ ગાંધીએ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ખીર ભવાની મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. જેમાં રાહુલ ગાંધીની જેમ તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ જ્યારે-જ્યારે કોઈ રાજ્યના પ્રવાસે જાય છે ત્યારે ત્યાંના જાણીતા મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved